|
|
 |
|
|
|
|
|
| IndexAbout Us Citizen Charter |
|
|
|
માનનીય મુખ્યમંત્રીશ્રી નો સંદેશો
ખેડૂત દેશના વૃદ્ધિ અને વિકાસ માટે આધાર-સ્તંભ સમાન છે. ભારત ખેતીપ્રધાન દેશ છે. તેને કારણે આપણા દેશમાં ખેતી તેમજ ખેતઉઘોગોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. ભારત જેવા વિશાળ લોકશાહી દેશમાં ખેતી અને ખેડૂતના વિકાસાર્થે તેમજ સામાન્ય નાગરિકને તેના અધિકારો અંગે જાગૃત કરવા નાગરિક અધિકાર પત્ર તૈયાર કરવાનું સૂચન કેન્દ્ર સરકારશ્રીએ કરેલ છે.
ઉપરોક્ત બાબત અન્વયે, ગુજરાત સરકારશ્રીની સૂચના અનુસાર ગુજરાત ખેત ઉઘોગ નિગમ લિ.એ નાગરિક અધિકાર પત્ર તૈયાર કરેલ છે, જે પ્રશંસનીય છે. ગુજરાત રાજ્યના કૃષિ વિકાસમાં નિગમનો નોંધપાત્ર ફાળો રહૃાો છે. નિગમ રાજ્ય સરકારશ્રીની કૃષિદર્શન - ૨૦૧૦ અંતર્ગત નિયુક્ત કરેલ નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે. હું. નિગમને મારી શુભેચ્છાઓ પાઠવું છું. આ અધિકારપત્ર થકી નિગમ ગતિશીલ અને પારદર્શક વહીવટની પ્રતીતિ કરવાશે, તેવો મને વિશ્વાસ છે. |
|
માનનીય કૃષિમંત્રીશ્રી નો સંદેશો
ગુજરાત સરકારે રાજ્યમાં કૃષિ પેદાશો આધારિત ઉઘોગોના વિકાસ માટે અલગ સર્વગ્રાહી કૃષિઉઘોગ નીતિ જાહેર કરી છે. કૃષિ આધારિત ઉઘોગોના વિકાસ માટે ગુજરાત ખેત ઉઘોગ નિગમ લિ. કાર્યશીલ છે. લોકશાહી દેશમાં નાગરિકોને રાજ્યના વહીવટી તંત્ર પાસેથી સેવા મેળવવાનો અધિકાર છે. નાગરિક અધિકારપત્ર નાગરિકને તેના આવા અધિકારો અંગે સજાગ કરવાનું કાર્ય કરે છે.
ગુજરાત ખેત ઉઘોગ નિગમ લિ. નાગરિક અધિકારપત્ર રજૂ કરે છે તે બદલ હું નિગમને શુભેચ્છા પાઠવું છું. તેમજ નિગમની સફળતા ઈચ્છું છું. નાગરિક અધિકારપત્ર દ્વારા નિગમ અને રાજ્યના નાગરિકો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઉદ્દભવશે, તેમજ સરકારની પ્રવૃત્ત્િાઓ તથા યોજનાઓનો લાભ સામાન્ય નાગરિક પણ લેશે તેવી મને આશા છે. |
|
|
|